હાલના યુગમાં લોકો પાસે સમય ન હોવાથી કે સમય કિંમતી હોવાથી પગલું ઝડપથી ભરે છે અને ઉતાવળિયું પગલું ભરવાથી તકલીફ ઘટવાને બદલે વધવાની શક્યતા રહે છે. નવી નવી શોધો શોધાતા દુનિયામાં દૂર દૂરનાં માનવીઓના  વ્યવહાર નિકટ આવી જાય છે જેમ કે દૂર દૂર દેશોના, શહેરોના, ગામડાંના તાજા સમાચારો ટેલિવિઝન કે રેડિયો દ્વારા વહેતા મૂક્ય છે. આજના જમાનામાં ટી. વી., વિડિયો, મોબાઈલ, ફેક્સ વિવિધ મશીનરીઓ શોધાતા લોકો એકદમ નજદીક આવી ગયાં છે.
આધુનિક જમાનાનો પવન વાતા લોકોનો સ્વભાવ બદલાતો ગયો અને લોકોને વસ્તુઓ તાત્કાલિક મળે તેવી આશા રાખતા થઈ ગયા. આજકાલ લોકોને બધી વસ્તુ તાત્કાલિક જ જોઈએ છે. આજકાલ લોકોને ખાવાના ચટાકા થવાથી તથા મનમાં ખાવાનો ઓચિંતો વિચાર આવતા અને સમયનો અભાવ હોવાથી તથા બહારનો ખાવાનો શોખ વધતો ગયો છે. આ આધુનિક જમાનામાં ફાસ્ટ ફૂડની હોટલો પણ ઠેર ઠેર ખૂલી ગઈ છે.પરંતુ માંદગીમાં પટકાતા વાર લાગતી નથી.
પરંતુ  માનવીએ કોઈ પણ પગલું ભરતાં પહેલા વિચાર કરવો જ જોઈએ. અલબત્ત બોલતાં પહેલાં વિચારીને બોલવાથી ભૂલ થવાની શક્યતા રહેતી નથી. ઉતાવળમાં  અવિચારી કાર્ય કે બોલ કોઈને મનદુ:ખ  પંહોચાડી શકે છે. કોઇ પણ બોલ કે કાર્ય વિચારીને કરવાથી સરળ રીતે  પાર પડે છે. ઉતાવળિયું પગલું  ભરવાથી કામ સુધરવાને બદલે બગડી જવાની શક્યતા વધી જાય છે.
કોઈ પણ પ્રકલ્પ સફળ કરવા માટે વિચારીને યોજના કરાતા તે સરળ અને સારી રીતે પાર પડે છે. નવો ધંધો કરતા કે નવી નોકરીમાં દાખલ થતા પહેલાં  ભવિષ્યનો વિચાર કરીને અમલમાં મૂકવાથી નાસીપાસ થવાનો સવાલ જ ઉભો થતો નથી.
અવિચારી પગલું ભર્યા બાદ પાછા પડવું પડે કે યોજના બદલવી પડે ત્યારે પૈસાનો તો વ્યય થાય છે પણ સાથે સાથે નામોશી પણ વહોરવી પડે છે. બેટ્સમેને અવિચારીને મારેલો ફટકો સામે ચાલીને આઉટ થવામાં ગોલંદાજને તક આપે છે. અવિચારીને બોલતા પાછળથી માફી માગવાનો વારો આવતા પોતાને જ દુ:ખ થશે.
અવિચારીને કાર્ય કરતાં પોતે તો દુ:ખી થાય છે પણ સાથે સાથે પોતાના પરિવારજનો પણ મુશીબતમાં મૂકાઈ જાય છે. સંસારમાં રહેતા બધાએ પોતાનો જ વિચાર ન કરતા બીજાનો પણ વિચાર કરતા સફળતા મળે છે અને કિર્તિ વધે છે.
નાનામાં નાની વસૂતુથી માંડીને મોટામાં મોટું કાર્યમા સફળતા મેળવવા વિચારીને કામ લેતા સરળતાથી પાર પડી શકે છે.
લેખક:– શ્રેણિક દલાલ…શ્રેણુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *