Sanatan Dharm  : અમદાવાદ : સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભારત ને લઇ મોટા સમાચાર 5/8/24 ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે સંતો ની મહત્વ ની બેઠક યોજાઇ ગુજરાતભરના અગ્રણી સંતો આ બેઠક માં હાજરી આપી હતી.

સનાતન ધર્મ સંગઠન ની રચના પછી પહેલીવાર CM સાથેબેઠક

આ ટ્રસ્ટમાં ભારતના અધ્યક્ષ તરીકે
પૂ જગદ્ગુરુ સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના નેતૃત્ત્વમાં ચાલશે જેમના માર્ગદર્શન અને સલાહ સૂચન મુજબ જ કાર્ય કરશે

આ સંગઠન ના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ

મુકતાનંદબાપુ,પૂ સ્વામી બ્રહ્નચારીજી દ્વારકા

ગુજરાત એકમના પ્રમુખ શેરનાથ બાપુ.

ઉપપ્રમુખ ક્નીરામબાપુ

મહામંત્રી
લલીત કિશોરબાપુ . લિંબડી

કમિટી સભ્યમાં

  • એસ.પી. સ્વામી ગઢડા
  • વિજયબાપુ સતાધાર
  • પૂ નિર્માના બા પાળીયાદ
  • ભાગવત ઋષિજી
  • નિજાનંદ સ્વામી ગોતરકા
  • વાસુદેવ મહારાજ પીપળી
  • દલસુખ મહારાજ હળવદ
  • રામમનોહર બાપુ .કલોલ
  • પૂ ભયલુંભાઇ .પાળીયાદ
  • કેતન બાપુ . પરબધામ
  • મૌલિક ભગત ગઢડા
  • પૂ . જ્યોતિરનાથ બરોડા
  • પૂ રામબાપુ . બાવલિયારી સહીત અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા.

CM સાથે બેઠક માં સનાતન ધર્મને લઇને મુખ્ય પ્રશ્નોની ખાસ ચર્ચ કરવામાં આવી હતી તેમજ આ ટ્રસ્ટ હકારાત્મક અને રાષ્ટ્રની ભાવના સાથે કામ કરશે.

ગુજરાત માં સનાતન ધર્મ સંસ્થાન ટ્રસ્ટ ની રચના પછી મહત્વ ની આ બેઠક ગણાઈ રહી છે.

લિંબડી જૂનાગઢ સુરત અને ત્રંબા માં સનાતન સંમેલન બાદ આવતીકાલે રાજસતાધર્મસતાનું મિલન થયું.

આવનારા સમયમાં શ્રી સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ સમગ્ર ભારતમાં કાર્ય કરશે તેમજ આ
ટ્રસ્ટમાં અત્યારે હાલ 5000 હાજર થી પણ વધારે સાધુ સંતોનું રજીસ્ટ્રેશન થયેલ જે બધાજ સનાતની સેવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે આ ઉપરાંત આવનારા સમયમાં ગુજરાતમાંથી કલાકારો . કથાકારોશ્રીઓ અને લેખકોનો પણ સમાવેશ કરવામાં આવશે .

તેમજ દરેક જિલ્લામાં અને તાલુકા પણ સેવા ભાવિ અને સનાતન પ્રેમી રાષ્ટ્રપ્રેમી લોકોની નોંધણી કરીને ગામડે ગામડે આ ટ્રસ્ટ કાર્યરત કરવામાં આવશે .

આ ટ્રસ્ટ સદાયને માટે સરકાર સાથે હિન્દુત્વના મુદ્દે હકારાત્મક વલણ રાખીને કાર્ય કરશે

 સંકલન : ડો. રામેશ્વરદાસબાપુ હરિયાણી.કથાકાર