Rajkot
રાજકોટ : રેલનગર ચારણ સમાજ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સોનલ બીજની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવે છે. આ વર્ષે સોનલ માંના 101માં જન્મોત્સવ નિમિત્તે આ ઉજવણીને વધુ વિશિષ્ટ બનાવવામાં આવી છે.
સવારે સોનલ માંની મંગળા આરતીથી શરૂ થતી આ ઉજવણીમાં શોભાયાત્રા અને રાસની રમઝટનો અનોખો નજારો જોવા મળે છે. સમગ્ર સમાજ આ ઉત્સવમાં જોડાઈને સોનલ માંને નમન કરે છે.
રાત્રિના ભવ્ય ડાયરો: આ વર્ષે સોનલ માંના 101માં જન્મોત્સવની ઉજવણીમાં એક નવી વિશેષતા ઉમેરવામાં આવી છે. રાત્રે 9:00 કલાકે ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાયરામાં કલાકારો સોનલ માંની વંદના કરશે અને ભક્તિમય ગીતો રજૂ કરશે.
સમાજમાં ઉત્સાહનો માહોલ: સોનલ માંના 101માં જન્મોત્સવ નિમિત્તે સમગ્ર રેલનગર ચારણ સમાજમાં ઉત્સાહનો માહોલ છે. ભાવિક ભક્તો આ ઉત્સવમાં જોડાઈને આધ્યાત્મિક અનુભવ કરશે.
સોનલ માંનું મહત્વ: સોનલ માં ચારણ સમાજની આરાધ્ય દેવી છે. તેમને માતા, દેવી અને ગુરુ તરીકે પૂજવામાં આવે છે. સોનલ બીજનો ઉત્સવ સમાજને એકબીજા સાથે જોડવાનું અને આધ્યાત્મિક જાગૃતિનું કામ કરે છે.
સ્થળ : આંનદ વિદ્યાલય રાધિકા ડેરી ની સામે ની શેરી, રેલ-નગર 2 – રાજકોટ