Karma:
૧ – ભગવાન કયારેય ભાગ્ય નથી લખતાં, જીવનના દરેક ડગલાં પર આપણો વિચાર, આપણો વ્યવહાર, આપણુ કર્મ જ આપણુ ભાગ્ય લખે છે.
૨ – નીતિ સાચી હશે તો નસીબ કયારે પણ ખરાબ નહીં થાય,
૩- બીજો માણસ આપણામા વિશ્વાસ મૂકે એ જ, આપણા જીવનની સૌથી મોટી સફળતા છે.
૪- દુ:ખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને કયારેય સુખી થતો નથી.
૫ – માણસાઈ દિલમાં હોય છે, હેસિયતમાં નહીં, ઉપરવાળો માત્ર કર્મો જ જુએ છે, વસિયત નહીં.
૬ – તમે ગમે તેટલા શતરંજ ના મોટા ખેલાડી હો, પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે.
૭- પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં બળે છે અને સબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે.
૮ – જીવનમાં સ્વાર્થ પુરો થઈ ગયા પછી અને શરીરમાંથી શ્વાસ છુટી ગયાં પછી કોઈ કોઈની રાહ જોતું નથી.
૯ – જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે.
૧૦ – ઈશ્વર જયારે આપે છે, ત્યારે સારું આપે છે અને નથી આપતો ,ત્યારે વધું સારું મેળવવાનો રસ્તો આપે છે, પણ જયારે રાહ જોવડાવે છે…ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે.
૧૧ – આ ચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે, પણ આચરણ તો પરમાત્મા સુધી લઈ જઈ શકે…