Congress
અમદાવાદ :
કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહ એ ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશે રાજ્યસભામાં ખુબજ અપમાનજનક ટિપ્પણી કરી હતી જે કરોડો ભારતીયોનું અપમાન છે. દેશ ભરમાં દલિત સમાજમાં હાલ ખુબ રોષ જોવા મળી રહ્યો દેશ ભરમાં વિરોધ થઈ રહ્યો છે. અમિત શાહ રાજીનામું આપે અને અપમાનજનક ટિપ્પણી માટે માફી માંગે એના વિરૂધ્ધમાં શાહપુર વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી ચિધ્યા માર્ગે પુર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીનભાઈ શેખ, મ્યુ. કાઉન્સિલર અકબરભાઈ ભટ્ટી, વોર્ડ પ્રમુખ સઈદ શેખ, પુર્વ મ્યુ. કાઉન્સિલર ઈન્દિરાબેન પરમાર, ઉપ પ્રમુખ અમદાવાદ શહેર કોંગ્રેસ નાં શામજીભાઈ પરમાર, મયુર પરમાર એડવોકેટ, તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો વિરોધ પ્રદર્શન કાર્યક્ર્મમાં જોડાયા હતા..

પત્રકાર : કુણાલ પરમાર