India : ૧૫ ઓગષ્ટ ૨૦૨૪ : આજથી ૭૭ વર્ષ પહેલા ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ નાં દિવસે ભારતે અંગ્રેજો પાસેથીઆઝાદી મેળવી ત્યારથી ૧૫ મી ઓગષ્ટ ભારતનો સ્વતંત્ર દિવસ તરીકે ઉજવાય છે અને આ રાષ્ટ્રીય તહેવાર હોવાથી જાહેર રજા તરીકે માન્ય થયો છે. આ દિવસથી ભારતમાં રહી ચૂકેલા વડા પ્રધાન હસ્તે દિલ્હીમાં આવેલ લાલ કિલ્લા પરથી વહેલી સવારે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે છે તથા લશ્કર બેન્ડ આપણા દેશનું રાષ્ટ્ર ગીત ‘જનગણમણ અધિનાયક જય હે’ ની ધૂન વગાડતા રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવે છે તથા ૨૧ તોપ ફોડવામાં આવે છે.

આજનાં દિવસે દેશભરની વિદ્યાલય તથા મહાવિદ્યાલય દરેક રાજ્યોમાં આવેલા શહેરોમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ ગોઠવાય છે તથા દિલ્હીમાં લાલ કિલ્લા પરથી વડાપ્રધાન દેશનાં લોકો માટે દેશની ઉન્નત્તિ માટેના પોતાના વિચારો દર્શાવે છે.

‘જનગનમન અધિનાયક જય હે…’ નામનું ગીત શ્રી રવિન્દ્રનાથ ટાગોરે તારીખ ૧૨ / ૧૨ / ૧૯૧૨ ના રોજ જ્યોર્જ પાંચનો દિલ્હીમાં સમ્રાટ તરીકે રાજ્યભિષેક થયો તે પ્રસંગે રાજાની સ્તુતિમાં રચ્યું હતું. વંદેમાતરમ્ ની તરફેણ હોવા છતાં તથા ‘સારે જંહા સે હિન્દોસ્તા હમારા’ નામનું ગીત રાષ્ટ્રગીત બનવાની શક્યતા હોવા છતાં તે વખતના વડા પ્રધાન શ્રી જવાહરલાલ નહેરુએ *જનગનમન અધિનાયકને* રાષ્ટ્ર ગીત જાહેર કર્યું.

ઈ.સ.૧૯૪૫ – ૪૬ દરમિયાન અંગ્રેજ સરકારે મિલિટરીનો વિશ્વાસ ગુમાવ્યો હતો. અંગ્રેજોનાં વળતા પાણી દેખાવા લાગ્યા. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીના અહિંસક સત્યાગ્રહ સામે અંગ્રેજોના હાથ હેઠા પડ્યા. ઈ. સ. ૧૯૪૭માં ૧૫મી ઓગષ્ટે આપણા દેશનાં સ્વાતંત્ર્યાનો સ્વીકાર થયો. જતાં જતાં અંગ્રેજોએ હિંદુસ્તાનના હિંદીઓનું ભારત અને મુસલમાનોની પાકિસ્તાન એવા બે ભાગ કરાવી પહાડ જેવી મુશ્કેલીઓ મૂકતા ગયા. જે આજે પણ આપણે સહન કરીએ છીએ તથા આજે પણ નીવેડો ન આવતા વારંવાર આપણા જવાનો શહીદ થતા જાય છે.

બ્રિટીશ શાશનની ઘૂંસરીમાંથી આપણો દેશ ભારત ઈ. સ. ૧૯૪૭ ના ઓગષ્ટ મહિનાની ૧૫મી તારીખે સ્વતંત્ર થયો અને બ્રિટશ તાજનાં પ્રતિનિધિ હિંદુસ્તાનના છેલ્લા વાઈસરોય માઉન્ટ બેટને વિધિપૂર્વક લશ્કરી તેમજ દરેક સત્તા ૧૨ વાગ્યનાં સમયે સોંપી.

વહેલી સવારે દિલ્હીના ઐતાહિસિક લાલકિલ્લા પરના બ્રિટનના યુનિયન જેકનો ધ્વજ વાઈસરોય માઉન્ટબેટને ઉતાર્યો.

ત્યારે સ્વ. પંડિત જવાહરલાલ નહેરુએ સ્વતંત્ર તિરંગો રાષ્ટ્ર ધ્વજ લાખો નાગરિકોની હાજરી લહેરાવ્યો કે તરત જ તોપોની સલામી સાથે *જયહિંદ* ના બુલંદ નારા સાથે લાલ કિલ્લાના મેદાનમાં એકત્ર થયેલી માનવ મેદનીએ જયજયકાર કર્યો.

આપણો આઝાદ દિન દુનિયાના ઈતિહાસમાં અજોડ ગણાશે. દ્વેષ વધાર્યા વગર, લડાઈનાં સાધનો કે હથિયાર ઉગામ્યા વગર અહિંસક આઝાદી મેળવી એ જ રીત જ અનોખી છે.

૧૫મી ઓગષ્ટ ૧૯૪૭માં આપણો દેશ આઝાદ થયો અને પાકિસ્તાન અખંડ હિંદુસ્તાનમાંથી બે ટુકડામાં વહેંચાયું અને પાકિસ્તાન દેશનાં પશ્ચીમ પાકિસ્તાન તથા પૂર્વ પાકિસ્તાન ઓળખાવવા લાગ્યા. પાકિસ્તાનમાં ગર્વનર જનરલ તરીકે મહંમદઅલી ઝીણા નીમાયા અને ભારતે લોર્ડ માઉન્ટબેટનની ભારતે ગવર્નર જનરલ તરીકે પસંદગી કરી. પંડિત જવાહરલાલ નહેરુ આપણા પ્રથમ વડા પ્રધાન અને સરદાર વલ્લભભાઇ પટેલ નાયબ વડાપ્રધાન અને મૌલાના આઝાદ આપણા કેળવણી પ્રધાન બન્યા.

વર્ષો પછી પૂર્વ પાકિસ્તાન બદલાઈને હવે બંગલાદેશ તરીકે ઓળખાવા લાગ્યો.

અંગ્રેજોએ જે કાયદા ઘડેલા હતા તે પ્રમાણે ૩ વર્ષ સુધી આપણા દેશનું રાજ્ય ચાલ્યું. ૧૯૫૦ના જાન્યઆરીની ૨૬મી તારીખે આપણા દેશમાં આપણું જ પ્રજાનું રાજ્ય થયું તે દિવસે આપણા લોકોએ ઘડેલા તથા લોકો સુખી થાય તેવા કાયદા અમલમાં આવ્યા. દેશના કાયદાની આવી વ્યવસ્થાને બંધારણ *constitution* કહેવાય છે. આપણા દેશનું રાજ્ય બંધારણ વિખ્યાત ધારાશાસ્ત્રી માનનીય બાબાસાહેબ આંબેડરકરે રચ્યું છે. આ રીતે ૧૯૫૦ની ૨૬ મી જાન્યુઆરીએ ભારતનું પ્રજાસત્તાક રાજય અમલમાં આવ્યું અને પ્રજાસત્તાક તરીકે ૨૬ મી જાન્યુઆરીની ઉજવણી થવા લાગી.

આપણું રાષ્ટ્ર ગીત…. લિખીત શ્રી રવિન્દ્રનાથ ટાગોર

જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા,

પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ બંગ,

વિન્ધ્ય, હિમાચલ, યમુના, ગંગા, ઉચ્છલ-જલધિતરંગ,

તવ શુભ નામે જાગે, તવ શુભ આશિષ માગે,

ગાહે તવ જય ગાથા!

જનગણ મંગલદાયક જયહે

ભારત ભાગ્ય વિધાતા!

જય હે, જય હે, જય હે,

જય જય જય જય હે!!

હર ઘર તિરંગા લહેરાયે

લેખક:– શ્રેણિક દલાલ….. શ્રેણુ

One thought on “India : હર ઘર હમારા તિરંગા લહેરાયે અભિયાન : લેખક શ્રેણિક દલાલ દ્વારા”

Comments are closed.